મન ભજીલે મોહન પ્યારા ને,
પ્યારાં ને મોરલીવાળાને,....મન ભજીલે,
સાત સમંદર તરી તરી આવ્યો,
ડૂબી મત મર આરા મે ,....મન ભજીલે,
મનુષા દેહ મળેલો છૂટવા,
શું ભુલ્યો ભમે ઘરબારામેં,....મન ભજીલે,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ,
હરિ ભજીલે યે વારામે ,....મન ભજીલે,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment